આપણે આપણી વ્યવસ્થા કરી લીધી, પણ આપણી સાથે રહેતા પક્ષીની વ્યવસ્થા કરતાં ભૂલી ગયા માનવજ્યોત દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા “વિશ્વ ચકલી દિવસ,, ની ઉજવણી રોટરી નગરના તર્પણેશ્વર મહાદેવ મંદિરે બિહારીલાલ મંદિરના મહંત શ્રી મોનીબાપુની સાનિધ્યમાં કરવામાં આવી હતી.   પ્રારંભે  શ્રી બટુકભાઇ ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર આપ્યો હતો.  માનવજ્યોતના શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ માનવજ્યોતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.

માનવજ્યોત સંસ્થા ભુજના પ્રબોધ મુનવરે આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્‌બોધન કરતાં જણાવ્યું હતું કે, આજે ચકલીઓનું અસ્તિત્વ જાખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. લુપ્ત થઇ ગયેલા ગીધ, સમડી, કાબર, પોપટ,  હોલા, કાગડા પછી મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે. એને બચાવવા માટે માનવજ્યોત સંસ્થા અભિયાન ચલાવી રહી છે. પક્ષીઓને પીવાનું પાણી મળે એ માટે માટીનાં કુંડા તથા ચકલીઓને રહેવાનું ઘર મળે એ માટે સુરક્ષિત માટીનું ચકલીઘર હવે દરેક ગામો અને શહેરોમાં લટકતા જાવા મળે છે. જે ચકલીઓ અને પક્ષીઓ માટે આશિર્વાદરૂપ બન્યા છે. લોકો સામેથી ચકલીઘર-કુંડા-ચણથાળીની માંગણી કરે છે. જીવદયાનું આ કાર્ય કચ્છનાં સીમાડા ઓળંગી ગુજરાતનાં અન્ય શહેરોમાં પહોંચ્યું છે. લોકો કુંડામાં પાણી ભરી રાખે છે. તરસ્યા પક્ષીઓ પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે. ચણ થાળીમાં જીવદયાપ્રેમીઓ પક્ષીઓ માટે દરરોજ ચણની વ્યવસ્થા કરે છે. આમ જીવદયાનું આ કાર્ય લોકો કરતા થયા છે. અનેક સંસ્થાઓ, મંડળો, ટ્રસ્ટો આ કાર્યમાં જાડાયા છે. અને માનવજ્યોતનાં આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે.

આ પ્રસંગે નિતિનભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, માનવજાતનાં અÂસ્તત્વ માટે પણ જીવ સૃષ્ટિ આધાર બને છે. વર્તમાન યુગમાં આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓ, પ્રદુષણ, નવી રહેણી-કરણી, ઉંચા મોબાઇલ ટાવરો, નળિયાનાં બદલે છત વિગેરે કારણોસર પક્ષીઓની અનેક જાતિઓ લુપ્ત થવાનાં આરે છે. મકાન છતવાળા બની  જતાં પક્ષીને જુદુ થવું પડયું.

આપણી સાથે ઘરમાં રહેતુ રળિયામણું પક્ષી હવે લુપ્ત થઇ રહ્યું છે. ચકલી આપણી સાથે ઘરમાં રહેતું પક્ષી હતું. અને આપણી સાથે સહજીવન જીવતું હતું. એનો વાસ આપણાં ઘરમાં અને ઘરબહાર નજીકમાં હતું. આપણે આપણી વ્યવસ્થા કરી લીધી પણ આપણી સાથે રહેતા નાનકડા પક્ષીની વ્યવસ્થા કરતા ભૂલી ગયા. પરિણામે ચકલીઓનો કલરવ અને અવાજ ઓછો થતો ગયો.

ત્યારે સંવેદનશીલ સંસ્થાઓ અને માનવીઓ જાગ્યા છે. એવી સંસ્થાઓમાંથી એક માનવજ્યોત છે. પક્ષીઓની ચિંતા કરવા વાળા જાગ્યા. માનવજ્યોતનું કામ સંવેદનાથી ભરપૂર છે. સંવેદનાથી કામ કરે છે.

ચકલીઓ અને પક્ષીઓ માટે નવી વ્યવસ્થા ઉભી થઇ છે. ચકલીઘર કુંડા અને ચણ થાળી પુન્યની કમાઇ છે. જીવદયાનાં આ કાર્ય માટે તથા પ્રજાતિ ને ટકાવી રાખવા દરરોજ પાંચ મિનિટ ફાળવો. જીવદયાનું આવું કાર્ય કરવાથી આત્મસંતોષ મળશે. પરિવારનાં વડીલોને આવી રોજંદી પ્રવૃત્તિ આપશો તો એમને પણ સંતોષ મળશે. સત્કર્મો  કરવાની ક્ષણો ઝડપી લેવી જાઇએ. લોકોને માટીનું કુડું, ચકલીઘર, ચણ થાળી ઘરોઘર વસાવી જીવદયાનું ઉત્તમ કાર્ય કરવા માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.  દિવસભર કુંડા-ચકલીઘર વિતરણ કરાયા હતા. સવારથી કુંડા-ચકલીઘરની ભારે ડીમાન્ડ રહી હતી. ભુજ શહેરનાં જુદા જુદા સર્કલો ઉપર લોક જાગૃતિ માટે બેનરો મુકવામાં આવ્યા હતા.

માધાપર મધ્યે દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા ખેતરપાળ મંદિરે માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા તથા ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન શંભુભાઇ જાષીએ કરેલ. જયારે આભાર દર્શન મુળજીભાઇ ઠક્કરે કરેલ. વ્યવસ્થામાં બટુક ગોસ્વામી, આનંદ રાયસોની,  દિપેશ શાહ, રફીક બાવા, જેરામ સુતાર, હિતેશ ગોસ્વામી, બાબુલાલ જેપાલ, વિકાસ મેર તથા માનવજ્યોતની ટીમે સહકાર આપ્યો હતો.