માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા “વિશ્વ ચકલી દિવસ,, ની ઉજવણી ભજીયા હાઉસ પાલારા પાસે વૃક્ષો ઉપર ચકલીઘરો લટકાવીને કરવામાં આવી હતી.કોરોના વાયરસની ચેતવણી રૂપે કુંડા-ચકલીઘર વિતરણ કરાયા ન હતા. તા. ૩૧ પછી વાતાવરણ સારૂં થશે ત્યાર પછી કુંડા ચકલીઘર વિતરણ કરાશે. ભુજ – ખાવડા માર્ગ ઉપર આવેલ ભજીયા હાઉસની ચારે બાજુ મોટા વૃક્ષો ઉપર ચકલીઘરો લટકાવી ચકલીઓને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરાઇ હતી. પાલારા ખાસ જેલ ગૌશાળા મધ્યે પણ ચકલીઘરો લટકાવવામાં આવ્યા હતા.
માનવજ્યોત સંસ્થા ભુજના પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, આજે ચકલીઓનું અÂસ્તત્વ જાખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. લુપ્ત થઇ ગયેલા ગીધ, સમડી, કાબર, પોપટ, હોલા, કાગડા પછી મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે. એને બચાવવા માટે માનવજ્યોત સંસ્થા અભિયાન ચલાવી રહી છે. પક્ષીઓને પીવાનું પાણી મળે એ માટે માટીનાં કુંડા તથા ચકલીઓને રહેવાનું ઘર મળે એ માટે સુરક્ષિત માટીનું ચકલીઘર હવે દરેક ગામો અને શહેરોમાં લટકતા જાવા મળે છે. જે ચકલીઓ અને પક્ષીઓ માટે આશિર્વાદરૂપ બન્યા છે.લોકો સામેથી ચકલીઘર-કુંડા-ચણથાળીની માંગણી કરે છે. જીવદયાનું આ કાર્ય કચ્છનાં સીમાડા ઓળંગી ગુજરાતનાં અન્ય શહેરોમાં પહોંચ્યું છે. લોકો કુંડામાં પાણી ભરી રાખે છે. તરસ્યા પક્ષીઓ પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે. ચણ થાળીમાં જીવદયાપ્રેમીઓ પક્ષીઓ માટે દરરોજ ચણની વ્યવસ્થા કરે છે. આમ જીવદયાનું આ કાર્ય લોકો કરતા થયા છે. અનેક સંસ્થાઓ, મંડળો, ટ્રસ્ટો આ કાર્યમાં જાડાયા છે. અને માનવજ્યોતનાં આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે.
આ પ્રસંગે શંભુભાઇ જાષીએ જણાવ્યું હતું કે, માનવજાતનાં અÂસ્તત્વ માટે પણ જીવ સૃષ્ટિ આધાર બને છે. વર્તમાન યુગમાં આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓ, પ્રદુષણ, નવી રહેણી-કરણી, ઉંચા મોબાઇલ ટાવરો, નળિયાનાં બદલે છત વિગેરે કારણોસર પક્ષીઓની અનેક જાતિઓ લુપ્ત થવાનાં આરે છે. મકાન છતવાળા બની જતાં પક્ષીને જુદુ થવું પડયું.
શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આપણી સાથે ઘરમાં રહેતુ રળિયામણું પક્ષી હવે લુપ્ત થઇ રહ્યું છે. ચકલી આપણી સાથે ઘરમાં રહેતું પક્ષી હતું. અને આપણી સાથે સહજીવન જીવતું હતું. એનો વાસ આપણાં ઘરમાં અને ઘરબહાર નજીકમાં હતું. આપણે આપણી વ્યવસ્થા કરી લીધી પણ આપણી સાથે રહેતા નાનકડા પક્ષીની વ્યવસ્થા કરતા ભૂલી ગયા. પરિણામે ચકલીઓનો કલરવ અને અવાજ ઓછો થતો ગયો.
ત્યારે સંવેદનશીલ સંસ્થાઓ અને માનવીઓ જાગ્યા છે. એવી સંસ્થાઓમાંથી એક માનવજ્યોત છે. પક્ષીઓની ચિંતા કરવા વાળા જાગ્યા. માનવજ્યોતનું કામ સંવેદનાથી ભરપૂર છે. સંવેદનાથી કામ કરે છે.
ચકલીઓ અને પક્ષીઓ માટે નવી વ્યવસ્થા ઉભી થઇ છે. ચકલીઘર કુંડા અને ચણ થાળી પુન્યની કમાઇ છે. જીવદયાનાં આ કાર્ય માટે તથા પ્રજાતિ ને ટકાવી રાખવા દરરોજ પાંચ મિનિટ ફાળવો. જીવદયાનું આવું કાર્ય કરવાથી આત્મસંતોષ મળશે. પરિવારનાં વડીલોને આવી રોજંદી પ્રવૃત્તિ આપશો તો એમને પણ સંતોષ મળશે. સત્કર્મો કરવાની ક્ષણો ઝડપી લેવી જાઇએ. લોકોને માટીનું કુડું, ચકલીઘર, ચણ થાળી ઘરોઘર વસાવી જીવદયાનું ઉત્તમ કાર્ય કરવા જણાવ્યું હતું.
વૃક્ષો ઉપર ચકલીઘર લગાવવામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, મુળજીભાઇ ઠક્કર, ગુલાબ મોતા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, દિપેશ ભાટિયા,ઇરફાન લાખા, શુભ મયુર પટેલ, અક્ષય મોતા, નિરવ મોતા તથા માનવજ્યોતની ટીમે સહકાર આપ્યો હતો.