અન્નનો બગાડ અટકયો…ગરીબોનાં પેટનો જઠારાગ્નિ ઠર્યો આઠમની અનેરી ઉજવણી

“મા,, નવદુર્ગાની નવલી નવરાત્રી નિમિત્તે અષ્ટમી આઠમનાં ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક ગામોમાં વધી પડેલો મહાપ્રસાદ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકઠો કરવામાં આવ્યો હતો. બપોરથી રાત સુધીમાં રસોઈ વધી પડ્યાનાં ૨૩ ફોન આવ્યા હતા.

વરલી, રતનાલ, કોટડા ચકાર, માધાપર, લાખોંદ, સુખપર, માનકુવા, થરાવડા વિગેરે ગામો તથા ભુજની ૮ સમાજવાડીમાંથી ૧૦ હજાર લોકો જમી જાય તેટલું ભોજન એકઠું કરી ગરીબોનાં ઝુંપડે ઝુંપડે વિતરણ કરવામાં આવતાં ૧૦ હજાર ગરીબોએ મહાપ્રસાદનું ભોજન જમી ખુશી વ્યક્ત કરી હતી. અન્નનો બગાડ અટક્યો હતો. જયારે ગરીબોનાં પેટનો જઠારાગ્નિ ઠર્યો હતો.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રાજુ જોગી, હિતેશ ગોસ્વામી, રસીક જોગી, ઈરફાન લાખા, સલીમ લોટાએ સંભાળી હતી.