માંડવી શહેરને પોતાનું આશ્રય સ્થાન બનાવનાર વરૂણદાસ ૧૧ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. માંડવી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરી પોતાનાં પેટનો ખાડો પૂરતો માનસિક દિવ્યાંગ પગથી પણ દિવ્યાંગ હતો.
સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે તેને માંડવીથી ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે રાખી ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા તથા ગુલાબભાઇ મોતાએ તેની પાસેથી માહિતી મેળવી પશ્ચિમ બંગાળ પોલીસને જાણ કરી હતી.
હાવડા પોલીસે ખૂબ જ મહેનત કરી પશ્ચિમ બંગાળનાં નૌલારી ગામમાં તેનું ઘર શોધી કાઢ્યું હતું. માનવજ્યોત સંસ્થાએ તેને ટ્રેનમાં બેસાડી હાવડા પોલીસને જાણ કરતા માનવતાનાં આ કાર્યમાં હાવડા પોલીસ મદદરૂપ બની હાવડા રેલ્વે સ્ટેશને તેને ઉતારવા પોલીસ પણ હાજર રહી તેનો કબ્જા લઇ, પોલીસ સ્ટેશને જઇ ગુમ નોંધવનાં આધારે વરૂણદાસનાં ભાઇને તેનો કબ્જા સોંપ્યો હતો.
૧૧ વર્ષ બાદ પરિવારજનો સાથે મિલન થતાં પરિવારજનો ખુશીથી ઝુમી ઉઠયા હતા. અને માનવજ્યોત સંસ્થા ભુજનો આભાર માન્યો હતો. માનવતાનાં આ કાર્યમાં રિતુબેન વર્મા, ગુલાબ મોતા, રફીક બાવા, રાજુ જાગીએ સહકાર આપ્યો હતો.