મકરસક્રાંતિ દિવસે માનવજ્યોત દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મકરસક્રાંતિ દિવસે માનવસેવા અને જીવદયાનાં વિવિધ કાર્યો કરાશે. દર વર્ષે સંસ્થા દ્વારા મકરસક્રાંતિ દિને સેવા કાર્યો કરાય છે.

માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓ અને રંક બાળકોને ભોજન, પક્ષીઓને ચણ, ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, હમીરસર તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ, જરૂરતમંદ લોકોને ભોજન વિતરણ કરાવવામાં આવશે.

વિવિધ આયોજનોમાં સહયોગ આપવા ઇચ્છતા દાતાશ્રીઓએ માનવજ્યોત કાર્યાલય ભુજ મો. ૯૯૧૩0૨૯૮00 અથવા ફોન નંબર ૨૪000 નો સંપર્ક કરવા સંસ્થા દ્વારા જણાવાયું છે.