માનવજ્યોત દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૭ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે. રંક બાળકો તથા શ્રમજીવીકોને ભોજન કરાવાશે.

સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ નિયમિત નાખી કિડીયારો પણ પૂરવામાં આવશે. શ્રાદ્ધા નિમિત્તે સતત ૧૬ દિવસ સુધી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે જાણીતા વિધિકાર તથા સેડાતા મહાદેવ મંદિરના પુજારી શ્રી દિપકમારાજ નારાયણ સરોવર વાળા શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ કરાવશે.

શ્રાદ્ધ પ્રસંગે આવા પુણ્યનાં કાર્યો કરવા ઇચ્છુક દાતાશ્રીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ ફોન : ૨૨૪૦૦૦ અથવા મો. ૯૯૧૩૦ ૨૯૮૦૦ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.