શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા લોકો કે જેમની પાસે મોઢા ઉપર બાંધવા માસ્ક નથી એવા લોકોને વંદેમાતરમ્ ગ્રુપ- જયભાઇ મારવાડા, ઉમરશીંભાઇ મારવાડા ગ્રુપનાં સર્વે કાર્યકરો દ્વારા માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવરનાં સહકરાથી ૭૦૦ લોકોને તેમના ઘર સુધી જઇ માસ્ક અપાયા હતા. અને મોઢા ઉપર બાંધવા સૂચના અને સમજ અપાઇ હતી. બધા જ કમ્પાઉન્ડર તથા અન્ય મિત્રોએ પૈસા એકઠા કરી પોતાનાં પૈસાથી કાપડ લઇ ભાવેશભાઇ દરજીની સેવા લઇ આ માસ્ક તૈયાર કરાવ્યા હતા. ૪૫૫ બાળકોને બીસ્કીટ પણ ગ્રુપ દ્વારા અપાયા હતા.