ઉત્તરપ્રદેશનાં પિતા-પુત્રનું ૪ વર્ષે થયું મિલન પણ પત્ની ૧૮ વર્ષે મળી

ઉત્તરપ્રદેશનાં દેવડીયાનો અભ્યમાન્ય શર્મા ઉ.વ. ૩૬ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. વર્ષો પછી રખડતી-ભટકતી હાલતમાં તે કચ્છમાં રેલ્વે માર્ગે પહોંચ્યો હતો. અને પગે ચાલી ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યો હતો. પિતાને શોધવા નીકળેલા પુત્રનું ચાર વર્ષ પહેલા પિતા સાથે મુંબઇમાં મિલન થયું. પણ તે લઇ જતી વખતે અચાનક ટ્રેનમાંથી ગુમ થયો હતો. આજે તે ૫૪ વર્ષનો થઇ ચૂકયો છે. તેની પત્ની અને માઘરે રાહ જોઇ બેઠા છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને ભુજ-નલીયા માર્ગેથી મળી આવ્યો હતો.

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં રિતુબેન વર્માએ તેની પાસેથી મળેલી માહિતીના આધારે ઉત્તરપ્રદેશની પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢતાં તેનાં પુત્ર સંદિપ શર્મા તુરત ભુજ આવી પહોંચ્યો હતો. બંનેનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પતિ-પત્નીનું ૧૮ વર્ષ બાદ મિલન થયું છે.

માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, દિપેશ શાહ, આનંદ રાયસોની, દિપેશભાટિયા, ઉમરશી ભાઇ ધુલ્લા સહયોગી બન્યા હતા.