જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી ભુજ દ્વારા ઉપયોગી દવાઓ એકઠી કરી માનવજ્યોત સંસ્થા ભુજને અપાઈ હતી. સંસ્થા આ દવાઓ ડોકટરશ્રીની ચિઠ્ઠી મુજબ જરૂરતમંદ દર્દીઓને નિ:શુલ્કપહોંચાડશે.
જાયન્ટ્સ સાહેલીનાં પ્રમુખ તરૂણાબેન અમૃતિયા, નીરૂબેન કેશરાણી, અલ્પાબેન પટેલ, યુનિટ ડાયરેકટર મીનાબેન વાઘમશીનાં વરદ હસ્તે ડો. જે.પી. કેશરાણીની ઉપસ્થિતિમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા કનૈયાલાલ અબોટીને અર્પણ કરાતાં માનવજ્યોત સંસ્થાએ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલી ભુજનો આભાર માન્યો હતો.