જૈનોનાં વર્ધમાનનગર પાસેથી મળેલ માનસિક દિવ્યાંગને સમજાવીને સ્કુટર ઉપર બેસાડી માનવજ્યોત કાર્યાલયે લઇ આવવામાં આવેલ.
રસ્તે રઝળતા અને ભૂખ્યા આ માનસિક દિવ્યાંગને સૌ પ્રથમ ચા,નાસ્તો કરાવવામાં આવેલ. ત્યાર પછી તેનાં બાલ-દાઢી કરાવવામાં આવેલ. તેના મેલા-ગંદા કપડા કાઢી તેને સ્નાન કરાવવામાં આવેલ અને ત્યારબાદ તેને નવા વસ્ત્રોમાં સજ્જ કરવામાં આવેલ. તે દોઢ વર્ષ પહેલાં રાજસ્થાનથી નીકળેલ. ભુજ, અંજાર માર્ગે ભુજોડી પાસેના વર્ધમાનનગર માર્ગે માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને મળી આવતા તેને માનભેર સ્કુટર ઉપર બેસાડી માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ. જ્યાં તે જીરોમાંથી હીરો બનેલ જોઇ શકાય છે. આવા માનસિક દિવ્યાંગોને ત્રણ ટાઇમ ભોજન કરાવવામાં આવે છે. તેમજ માનસિક આરોગ્યની હોસ્પીટલમાં લઇ જઇ સારવાર અપાવવામાં આવે છે.
ક્રિકેટ, ફુટબોલ, કેરમ, જેવી રમતો રમાડાય છે. તેમજ યોગા કરાવાય છે. અને ટીવીનાં સારા-સારા કાર્યક્રમો બતાવાય છે. માઇકનાં ઉપયોગ સાથે ગીત-સંગીત શીખાડાય છે. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા કાઉન્સલીંગ કરી દરેક રાજ્ય, શહેરોની પોલીસની મદદ લઇ તેઓનું ઘર-પરિવાર શોધી કાઢે છે. આમ માનસિક દિવ્યાંગો પોતાનાં ઘર સુધી પહોચે છે. અને પરિવારજનો સાથે વર્ષો પછી ફેરમિલન થાય છે.