ગુજરાત સ્થાપના દિવસ તથા વિશ્વ કામદાર દિવસ નિમિત્તે શ્રીમતી મંજુલાબેન મહેન્દ્રભાઇ સંગોઇ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ તથા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દિવ્યાંગો અને વૃદ્ધ વડીલો માટે ભુજ અને ગાંધીધામ રેલ્વે સ્ટેશને ઉચ્ચતમ કવોલીટીની રૂપિયા પચ્ચીસ-પચ્ચીસ હજારનાં ખર્ચે બે-બે વ્હીલચેરો મુકવામાં આવી છે.
અર્પણ વિધિ પ્રસંગે ભુજ રેલ્વે સ્ટેશન મેનેજર શ્રી કે.કે. શર્મા, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, શંભુલાલ જોષી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી ઉપસ્થિત રહ્યા હતા. રેલ્વે પ્રવાસી દિવ્યાંગો તથા વૃદ્ધ વડીલોને વ્હીલચેરો ભુજ-ગાંધીધામ રેલ્વે સ્ટેશન મળી રહેશે.