બિનવારસુ લાસનો આધારકાર્ડ બન્યો આધાર અંતિમવિધિ માટે પરિવારજનો આગળ આવ્યા

પશ્ચિમ બંગાળનાં ખડગપુર જિલ્લા મુકસદપુર તાલુકાનાં કૈયગેરીયા ગામનો ૨૨ વર્ષિય યુવાન કામ-ધંધા માટે ભુજ સુધી પહોંચ્યો હતો. અહીં કોઇ કામ-ધંધો ન મળતાં તે હતાશ થઇ ટેન્સનમાં આવી ગયો હતો. અંતે તેણે શેખપીર દરગાહથી ૧૦૦ મીટર ભુજ તરફ જતાં ગુંજન મિનરલ્સ નજીક એક લીંબડાનાં વૃક્ષમાં લટકી જઇ આત્મહત્યા કરી હતી. પોલીસ ને જાણ થતાં બનાવની તપાસ હાથ ધરાઇ હતી. બિનવારસ અને અજાણી લાગતી વ્યકિતનાં ખિસ્સામાંથી આખરે તેનો આધાર કાર્ડ મળી આવ્યો હતો. જેનાં આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજનાં પોલીસ હેડકોન્સ્ટેબલ જયસુખભાઇ અમરાભાઇ માલકીયાએ એલ.સી.બી. અને કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. જયસુખભાઇએ ત્યાર બાદ મુકસદપુર પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ મરણજનારનાં ગામ અને ઘર સુધી પહોંચી પરિવારજનોને જાણ કરી હતી.

ભુજથી ફેકસ-વોટ્‌સઅપ અને પી.ડી.એફ. ફાઇલ પણ ખડકપુર પોલીસ સ્ટેશને મોકલવામાં આવ્યા. જેથી મરણ જનાર યુવાનનાં પિતાએ અમદાવાદથી તેમનાં પિતરાઇ ભાઇ-ભત્રીજાને જાણ કરતાં તેઓ ભુજ આવી પહોંચ્યા હતા.

મરણજનારની દુર્ગંધ મારતી લાસ વિકરાળ બની ચુકી હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, મહેશ મારાજ, વિક્રમ સથવારાએ ખારીનદી સ્મશાન ખાતે તેમનાં પરિવારજના બે સભ્યોની ઉપસ્થિતિમાં લાસની અંતિમક્રિયા કરી હતી.

આમ આધારકાર્ડ, મોબાઇલ, વોટ્‌સઅપ, ફેકસ વિગેરે મરણજનારની ઓળખ માટે ખૂબ જ ઉપયોગી બન્યા હતા.