માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં સહકારથી લાખોંદ નજીક આશાપુરા કોલોની બસ સ્ટેશન પાસે આવેલા શ્રી રામદેવપીર મંદિર દ્વારા ૨૫૦ તુલસીરોપા વિતરણ કરાયા હતા.
રામદેવપીર મંદિરના પૂજારી કાપડી દાદા, કેડાભાઈ રતાભાઈ આહિર, જખુભાઈ આહિર, ધનાભાઈ ભોપા આહિર તથા સર્વે ભક્તજનોએ તુલસી વૃક્ષ અતિ ઉપયોગી ઔષધિ છે, અને તુલસી છોડ દરેક ઘરે હોવું જરૂરી ગણાવ્યું હતું.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, શંભુભાઈ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, દિપેશ ભાટિયા તથા અક્ષય મોતાએ સંભાળી હતી