માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૪૪૮ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ છે.
સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર હસ્તે રમાબેન શીરીષ મહેતા વર્ધમાનનગર દ્વારા-૩, સ્વ. ભાવેશ અનીલ એમ. મહેતા વર્ધમાનનગર દ્વારા-૧ તેમજ એક હરિભક્તે જય જલારામ બાપાનાં નામે-૩ ટ્રાયસિકલો માટે અનુદાન આપેલ.
પ્રારંભે સંસ્થા શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ પ્રસંગ પરિચય આપ્યો હતો. અને સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. આ પ્રસંગે દાતાશ્રીઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવેલ.
ટ્રાયસિકલ લાભાર્થી દિવ્યાંગોએ જણાવ્યું હતું કે, હવે અમો દૂર સુધી હરી ફરી શકશું અને પોતાનાં કામ જાતે પૂરી કરી શકશું. પ દિવ્યાંગ પુરૂષો તથા ૩ મહિલા દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાતાં તેઓશ્રીએ આનંદની લાગણી અનુભવી સંસ્થા અને દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભાર દર્શન શંભુભાઇ જોષી કરેલ. વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, મધુભાઇ ત્રિપાઠી, દીપેશ શાહ, નીતિન ઠક્કર, મુરજીભાઇ ઠક્કર, રફીક બાવાએ સંભાળી હતી

