અકસ્માતનો ભોગ બનેલા યુવાનને ટ્રાયસિકલ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અકસ્માતનો ભોગ બનેલા ભચાઉનાં સોમાભાઇ જે. આદિવાસીને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગ ઉપર ફરતા કર્યા હતા. પત્ની ચાલી ગયા પછી ત્રણે બાળકો પણ અકસ્માત સમયે રીક્ષામાં હતા. જે નાના બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે સોમાભાઇને છ મહિનાનું પગે ફેકચર આવ્યું હતું. ૧૦ મહિના પછી આવી પરિસ્થિતિમાંથી તેને બહાર લાવવા માનવજ્યોત સંસ્થા સોમાભાઇને ફરી પગભર કરવા આગળ આવી હતી. તે માર્ગો ઉપર આવી જઇ શકે તે માટે તેને ટ્રાયસિકલ દાતા શ્રી સ્વ. વેલબાઇ વીરજી હાલાઇ માધાપરનાં સહયોગથી અર્પણ કરાઇ હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, ચમનલાલ જીવાણી, દિપેશ શાહ, દિપેશ ભાટિયા, પ્રતાપ ઠક્કરે ઉપસ્થિત રહી સોમાભાઇને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્યાર સુધી માનવજ્યોત સંસ્થાએ દાતાશ્રીઓનાં સહયોગથી ૩૦૫ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી છે.