રાજકોટ ગેમઝોનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઇ

રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલા બાળકો-યુવાનો-પરિવારોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ગેમઝોનમાં ભીષણ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કરવામાં આવેલ.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્ર્વરી, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રવિણ ભદ્રા, રફીક બાવા, મુરજીભાઇ ઠક્કરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.