ભુજ તાલુકાના કેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષો સુધી ડ્રેસર તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા હરભમજી ખુમાનસંગજી જાડેજાનું અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા તેઓની સેવાઓને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. તેઓશ્રી માનવજ્યોતનાં સહદેવસિંહ જાડેજાના પિતાશ્રી હતા.
સંસ્થાના પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોવિંદભાઇ પાટીદાર, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, શંભુભાઇ જોષી, રફીક બાવા, નિતિન ઠક્કરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.