સેવાભાવી ડોકટરશ્રીને અંજલિ અપાઇ

કચ્છ ભુજનાં જાણીતા અને સેવાભાવી ડો. જ્યોતિન્દ્ર છાયાનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અંજલિ અપાઈ હતી. 

કાન-નાક-ગળાનાં જાણીતા ડો. જ્યોતિન્દ્રછાયાની સેવાની ભાવનાઓને બિરદાવવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ મહેશ્વરી, અરવિંદ ઠક્કર, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, આનંદ રાયસોનીએ શ્રદ્ધાંજલિ આપી હતી.