માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કરની ૧૧મી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા તેમની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી અંજલિ આપવામાં આવી હતી. અને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું.
શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ માટે અઢી એકર જમીન એમણે માનવજ્યોત સંસ્થા ભુજને અર્પણ કરી હતી. જ્યાં આજે કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને સારવાર આપી ઘર સુધી પહોંચાડવાનું ઉત્તમકાર્ય થઇ રહ્યું છે.
સંસ્થાનાં પ્રબોધ મુનવર, રમેશભાઈ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, સુરેશભાઈ મહેશ્વરી, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, મુરજીભાઈ ઠક્કરે શ્રદ્ધાંજલિ આપી હતી.