માવઠા અને ઠંડીથી થરથરતા લોકોને બિસ્તર વિતરણ કરાયા

ભુજમાં અચાનક માવઠું થતાં વરસાદ અને ઠંડી વચ્ચે ઝુંપડા અને ભૂંગામાં રહેતા લોકોને માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા બિસ્તર વિતરણ કરવામાં આવ્યા હતા. ઓઢવા-પાથરવાની ગરમ જરૂરી વસ્તુઓ પ્રાપ્ત થતાં આવા પરિવારોને પણ ઠંડી સામે રક્ષણ મળતા અનેક પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી.વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, સલીમ લોટા, વિક્રમ રાઠીએ સંભાળી હતી.