<p>માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર (માધાપર-જુનાવાસ) નાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. </p>
<p>પ્રારંભે મંદિરનાં આગેવાન ભુપતભાઇ સોનીએ સૌને આવકાર્યા હતા. મંદિર સંકુલના શ્રી મૌનીબાપુએ માનવજ્યોતની વિવિધ સેવાઓને બિરદાવી હતી. શ્રી શંભુભાઇ જાષીએ વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું.</p>
<p>બિલીપત્ર, આંબો, ચંપો, દાડમ, ચીકુ, ફુલનાં વૃક્ષોનું નીતીનભાઇ ઠક્કર, હંસરાજભાઇ સોલંકી, સાવીત્રીબેન ગુસાઇ, ભરતગીરી ગુસાઇ, કનૈયાલાલ અબોટી તથા સર્વે આગેવાનોનાં હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શંભુભાઇ જાષીએ જયારે આભારવિધિ મુરજીભાઇ ઠક્કરે કરેલ.</p>