માનવજ્યોત સંસ્થાને ઇન્વેટર સેટ અર્પણ કરાયું

ભુજ વાયુદળ એરફોર્સ કર્મચારી ગણનાં હેલ્પીંગ વોરીયસ ગ્રુપ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને ઇલેકટ્રોનિક ઇન્વેટર સેટ અર્પણ કરાયું હતું. આ ઇન્વેટર સેટની મદદથી માનસિક દિવ્યાંગોનાં આ આશ્રમને અંધારામાં પણ પ્રકાશ મળતું થયું છે. સંસ્થા વતી શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી તથા ગુલાબ મોતાએ ગ્રુપનો આભાર માન્યો હતો.