માનવજ્યોતને ૫૧ હજારનું અનુદાન અપાયું આભાર

માનવસેવા, જીવદયા અને પર્યાવરણ સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર માનવજ્યોત સંસ્થા ભુજને સ્વ. તુલસીદાસ જમનાદાસ કેવડીયા પરિવાર દ્વારા રૂ. ૫૧ હજારનો ચેક અર્પણ કરાયો હતો. પરિવારનાં નાના ભૂલકાઓએ સ્વર્ગસ્થની પુણ્ય સ્મૃતિમાં માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને સંસ્થાની પ્રવૃત્તિઓ માટે અનુદાન આપ્યું હતું. પરિવારનો આભાર માનવામાં આવેલ.