વેસ્ટ બંગાલનાં યુવાનનું 4 વર્ષે પરિવારજનો સાથે થયું ફેર મિલન

પશ્ચિમ બંગાળનાં ભૂપતિનગરનો યુવાન સુરજીત ઉ.વ . 24 ચાર વર્ષ પહેલાં ગુમ થયો હતો. આખરે તે રખડતો-ભટકતો ગુજરાતનાં સોમનાથનાં નિરાધારનો આધાર માનવસેવા આશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી.

માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે તેને સાથે લઇ આવ્યા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી વેસ્ટ બંગાલ પોલીસની મદદથી તેનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા.

તેના ભાઇ-કાકા-મામા તેને તેડવા ભુજ આવી પહોંચ્યા. ચાર-ચાર વર્ષ પછી તેનું પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, ગુજરાત વિદ્યાપીઠનાં સામાજિક કાર્યકરની ટ્રેનીંગ લઇ રહેલા ચેતન કુકડિયા, રવિ વનાણી, નીરૂભાઇ મેર સહયોગી બન્યા હતા.