મહારાષ્ટ્રનાં ખામગામ શહેરનો યુવાન જગદીશ બજરંગ પરદેશી ઉ.વ. ૩૪ છેલ્લા ૩ વર્ષથી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેનો કઈ અતોપતો ન મળતાં પરિવારજનો ખૂબ દુઃખી થયા હતા. ઘરે પત્ની તથા એક બાળક તેની રાહ જોઇ થાક્યા હતા.
૭ મહિના પહેલાં તે માનવજ્યોત સંસ્થાને માંડવી શહેરમાંથી મળ્યો હતો. માનવજ્યોત સંસ્થાએ તેને સારી સારવાર આપતાં તે એકદમ સ્વસ્થ બન્યો હતો. રેલ્વે બંધ હોવાથી સંસ્થા તેને મોકલી શકી ન હતી. આખરે સંસ્થાએ તેને અમદાવાથી ટ્રેન મારફતે ખામગામ તેનાં ઘર સુધી પહોંચતો કરતાં તેની પત્ની અને બાળક સાથે તેનું મિલન થતાં સૌની આંખો આંસુથી ભીંજાઈ હતી. પત્નીએ જણાવ્યું હતું કે, ૧૧ વર્ષ પહેલાં તેનાં લગ્ન થયા હતા. તેનો બાળક પણ ૯ વર્ષનો થઇ ચૂકયો છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, મહેશભાઈ ઠક્કર, મનીષ મારાજ તથા સંસ્થાનાં સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.