તેલાંગણાં રાજ્યનો યુવાન જાદેવઅલી ૩ વર્ષે ઘરે પહોંચ્યો

તેલાંગણાં રાજ્યનો ૨૪ વર્ષિય યુવાન જાદેવઅલી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અન્ય રાજ્યોમાંથી થઇ તે ભુજ પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને તે નલીયા-તેરા માર્ગે ગર્મી અને બળબળતા તાપમાં પગે ચાલ્યો જતો મળ્યો હતો. તેને રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવ્યો. ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી તેની સારવાર કરાવવામાં આવી. સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ માત્ર સાત દિવસમાં તેલાંગણાં પોલીસની મદદથી તેનું ઘર શોધી કાઢતાં તેની માતા તથા કાકા-મામા તેને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. માતા સતત રડી રહી હતી. આખરે માતા-પુત્રનું મિલન થતાં પરિવારજનોએ ખુશી મનાવી હતી. આખરે યુવાન જાવેદઅલી પોતાનાં ઘર સુધી પહોંચ્યા છે. માનવતાનાં આ કાર્યમાં કિશોરભાઇ કેનીયા, વાલજી કોલી, સાગર લાલકા, પ્રતાપ ઠક્કર સહભાગી બન્યા હતા.