મધ્યપ્રદેશની મહિલા બે વર્ષ પછી મળી આવી ૧૪ વર્ષ પહેલાં પતિએ તેને મૂકી દીધી હતી

મધ્યપ્રદેશનાં ધાર જીલ્લાનાં ધરમપુરી વિસ્તારની મહિલા મણી ઉ.વ. ૩૭ બે વર્ષ પહેલાં ગુમ થઇ હતી. પરિવાર તેને શોધી રહ્યો હતો પણ તે રખડતી ભટકતી બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચી હતી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને ભુજ તેડી આવ્યા હતા. મધ્યપ્રદેશ પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું હતું. તેના પરિવારજનો ને સમાચાર મળતાં જ ભુજ આવી પહોંચ્યા હતા.

પરિવારજનોનાં જણાવ્યા મુજબ ૧૪ વર્ષ પહેલા તેનાં પતિએ તેને મૂકી દીધી હતી. ત્યાર પછી તે માનસિક બિમારીનો ભોગ બની હતી. આખરે પરિવારજનો સાથે તેનું મિલન થતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોવિંદભાઇ પાટીદાર, નરશીંભાઈ પટેલ, કરશનભાઈ ભાનુશાલી, ભૂપેન્દ્ર બાબરીયા સહભાગી બન્યા હતા.