માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદ પરિવારોને અડધો કિલો મીઠાઇના પેકેટોનું વિતરણ કરવામાં આવેલ. કેમ્પ એરીયાના સાંઈ બાબા મંદિરેથી આ કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ.
મુખ્ય દાતા કરમણભાઇ જીવાભાઇ ડાંગર, રાણાભાઇ રવાભાઇ ડાંગર-ધાણેટી, ઉમિયા એગ્રો સેન્ટર-ભુજ, નાસા એકસોપર્ટ- રાજકોટ, દેવ્યાનીબેન સુરેશભાઇ દવે-માધાપર, પ્રેમીલાબેન વેકરીયા-માધાપર, શ્રી વર્ધમાન આણંદજીની પેઢી શ્રી આરાધના ભવન જૈન સંઘ- ભુજ, ચાંપશી પદમશી પરિવાર સંચાલિત દેવરત્ન ચેરીટેબલ ટ્રસ્ટ-વડોદરા દ્વારા મળેલ મીઠાઇ પેકેટો મળી ટોટલ-૫૦૦ પેકેટોનું વિતરણ ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે જઇ કરવામાં આવેલ. શ્રમજીવીક પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી.
ભુજ વિસ્તારમાં વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, આનંદ રાયસોની, દિપેશ શાહ, શંભુભાઇ જોષી, ગોવિંદભાઇ પાટીદાર, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, પ્રવિણ ભદ્રા, નરશીભાઇ પટેલ, સાંઇ બાબા મંદિરના પુજારી મનજીભાઇ ભીલે સંભાળી હતી.