“તૌકતે,, વાવાઝોડાની કચ્છમાં ત્રાટકવાની સંભાવનાને ધ્યાને લઇ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા દશ હજાર સૂકા નાસ્તાનાં પેકેટો તથા બે હજાર થેપલાનાં પેકેટો તૈયાર કરવામાં આવ્યા છે.
સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં સર્વે કાર્યકરો અને કર્મચારીઓ આ સેવા કાર્યમાં જોડાયા છે. વાવાઝોડામાં લોકોને ભોજન નહીં મળ્યું હોય. જ્યાં જ્યાં લોકો મુશ્કેલી – પરેશાની વેઠતા હશે ત્યાં આ તૈયાર ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવશે.