ભીડગેટથી નવા રેલ્વે સ્ટેશન માર્ગ ઉપર આવેલા કોલીવાસનાં અગ્રણી આગેવાન શ્રી હરજીભાઇ રવા કોલીનું અવસાન થતાં કોલી સમાજમાં દુઃખની લાગણી પ્રસરાઇ હતી. હરજીભાઇ શિક્ષણપ્રેમી હતા. સમાજનાં બાળકો શિક્ષણ મેળવી આગળ વધે એ માટે સતત પ્રયત્નો કરતા રહ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, અરવિંદ ઠક્કર, રફીક બાવાએ અંજલી આપી હતી.