ઉત્તર પ્રદેશનાં બલીયા જિલ્લાનો વતની બિકોમ ભણેલો રવિકુમાર શુકલ ઉ.વ. ૪૮ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક ખર્ચ કર્યા પછી પણ તેનો કયાં પણ પતો લાગ્યો નહીં.
માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા તથા દયારામ મહારાજને તે ગાંધીધામ રેલ્વે સ્ટેશન બહારથી મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ. જ્યાં ડો. મહેશભાઇ ટીલવાણીની સારવાર થી સ્વસ્થ બન્યો હતો. તેની પાસેથી મળેલી માહિતીની આધારે વારાણસી પોલીસનો સંપર્ક કરી તેનો પરિવાર શોધવામાં આવતાં તેનાં પત્ની તેને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. છ મહિના પછી પતિ-પત્નીનું મિલન થયું હતું. ઘરે ૧૩ અને ૧૪ વર્ષનાં બે બાળકો પપ્પા ઘરે આવશે તેની રાહ જાઇ બેઠા હતા. માનવતાનાં આ કાર્યમાં સિનિયર પેરાલીગલ વોલીટીયર્સ પ્રબોધ મુનવર, ગુલાબ મોતા, રિતુબેન વર્મા, દયારામ મહારાજ, વાલજી કોલી તથા ઇરફાન લાખા સહભાગી બન્યા હતા.