ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત ૪ માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબાંધી તેઓ જલ્દી સ્વસ્થ બને અને પરિવારજનો સાથે ફેર મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી. ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજનાં પ્રમુખહર્ષાબેન કોટક, ઉષાબેન ઠક્કર, બિંદુબેન જોષી, કમળાબેન વ્યાસ તથા સ્મીતાબેન નાગડાએ ઉપસ્થિત રહ્યા હતા. માનસિક દિવ્યાંગોને અલ્પહાર અપાયો હતો. સંસ્થાનાં શ્રીપ્રબોધ મુનવર તથા આનંદરાયસોની, પંકજ કરૂવા, મહેશ ઠક્કરે આભાર માન્યો હતો.