ભાદરવાવીદ અમાસનાં દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વર્ગસ્થ સ્વજનોનાં શ્રાદ્ધ નિમિત્તે સ્વહસ્તે ભોજન કરાવવા ૧૭ પરિવારો આશ્રમ સુધી પહોંચ્યા હતા. પ્રારંભે જમનાદાસભાઇ માંડલે ધુન બોલાવી હતી.
પોતાનાં સ્વર્ગસ્થની યાદમાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફરસાણ સાથેનું ભોજન જમાડીએ પુણ્યાત્માઓનાં આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. અને ધન્યતા અનુભવી હતી.
અમાસનાં દિવસે સવાર થી સાંજ સુધી કેટલાયે પરિવારો આશ્રમ સુધી પહોંચ્યા હતા. ડો. સાકરિયા સાહેબ પરિવાર, જંગબહાદુર ભિમબહાદુર ગુરખા, નવિનચંદ્ર ચત્રભોજ ઠક્કર, જયશ્રીબેન છાટબાર, મણીબેન ઠાકરશી શાહ, કલાવંતીબેન મનુભાઇ ઠાકર, હેમલતાબેન મદનમોહન બંસલ, નવીનભાઇ ચિત્રકાર, એડવોકેટ સુમિતભાઇ પંડયા, નટવરલાલ જે. પંડ્યા, કુસુમબેન ભદ્રેશભાઇ શાહ, યશ મુકેશભાઇ જાશી, ધર્મેશ ઇન્દ્રકાન્ત સંપટ, નર્મદાબેન કરશનભાઇ પટેલ, જયાબેન દયારામ સોનાઘેલા, પુરૂષોત્તમ ટી. ઠક્કર, નર્મદાબેન એ. જાષી પરિવારોએ આખા દિવસનાં ભોજનથાળનો લાભ લીધો હતો.
માનવજ્યોત સંસ્થા ભુજ વતી પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, આનંદ રાયસોની, ગુલાબ મોતાએ દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.