આંતરરાષ્ટ્રીય ખેલાડી માનસિક દિવ્યાંગ હાલતમાં મળી આવ્યો
વર્ષ ૨૦૧૫ માં ભારત તરફથી ઓલમ્પિકમાં ભાગ લીધો હતો

વર્ષો પહેલા નેપાળ રહેતો પરિવાર અને ત્યાર પછી વર્ષોથી મુંબઇનાં અંધેરી નગરને પોતાની કર્મભૂમિ બનાવનાર નીતીનસિંઘ નરેન્દ્રસિંઘે ઉ.વ. ૩૦ છ મહિનાં પહેલા માનસિક સમતુલન ગુમાવી ઘર છોડ્યું હતું. અને તે સતત રખડતો ભટકતો રહ્યો હતો.

આખરે તે સોરાષ્ટ્રના સોમનાથના ‘નિરાધારનો આધાર માનવસેવા દુષ્ટ,, આશ્રમ સુધી પહોંચ્યો. ત્યાંના જનકભાઈ પારેખ અને ધ્રુવભાઇ સોલંકી તથા સ્ટાફ સર્વેએ તેની ખૂબ જ સારી સેવાઓ કરી

માનવજ્યોત ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વમાં સોમનાથ આશ્રમની મુલાને ગયેલા ત્યારે નરેન્દ્રસિંઘને ભુજ લઇ આવી મહારાષ્ટ્ર પોલીસની મદદ લઇ તેનો પરિવાર શોધી કાઢ્યો. સમાચાર મળતાં જ પરિવારજનો એક કલાકમાં જ ભુજ આવવા નીકળી પડ્યા હતા.

તેના ભાઇ ગોવિન્દ્રસિંઘ અને બેન રાજીતા પાલારા સ્થિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોચી ભાઇ નીતીનસિંઘને ભેટી પડ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તેઓનાં જણાવ્યા મુજબ નીતીનસિંઘ બાસ્કેટબોલનો આંતરરાષ્ટ્રીય ખેલાડી છે. અમેરીકા અને દુબઇમાં રમી આવ્યો છે. વર્ષ ૨૦૧૫માં ભારત તરફથી ઓલમ્પિકમાં ભાગ લીધો હતો. નામાંકિત ફિલ્મી કલાકારો સાથે એનાં ફોટા પરિવારજનોએ દેખાડયા હતા.

છ મહિનાંધી પરિવારજનો સતત ચિંતિત હતા. આખરે તે મળી આવતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ,

પંકજ કુરવા, દિલીપભાઇ લોડાયા, જયેશ લાલન સહભાગી બન્યા હતા.