મકરસક્રાંતિ નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારમાં કાર્યક્રમો પૂરા થયે ઉધીયું વધી પડ્યાનાં માનવજ્યોત સંસ્થાને ૧૯ ફોન આવ્યા હતા. સંસ્થાનાં વાહન દ્વારા જુદા-જુદા વિસ્તારોમાંથી ઉધીયું એકઠું કરવામાં આવેલ.
ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે આ ઉધીયું વિતરણ કરવામાં આવેલ. ૪૦૦ કિલોથી વધુ ઉધીયું ગરીબોને પહોંચતા તેઓની આંતેડી ઠરી હતી અને પરિવાર સહ ઉધીયા સાથેનું ભોજન જમી ખુશી વ્યક્ત કરી હતી. આમ ગરીબ પરિવારો પણ મકરસક્રાંતિ પર્વની ઉજવણીમાં જોડાઈ અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, અક્ષય મોતા, પ્રતાપ ઠક્કર, રફીક બાવા, હિતેશ ગોસ્વામી, વેસુભા સોઢા, સલીમ લોટા, અમૃત ડાભી, વિક્રમ રાઠીએ સંભાળી હતી.