માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા લોકડાઉન દરમ્યાન દરરોજ ૨૫૦૦ થી વધુ જરૂરતમંદ લોકોને દરરોજ બપોરે તેમનાં ઝુંપડા-ભૂંગા મકાનો સુધી જઇ ભોજન પહોંચાડવામાં આવે છે. આ પ્રવૃત્તિથી અનેકોનાં પેટનો ખાડો પૂરાઇ રહ્યો છે. અને એક પછી એક ગામો, ટ્રસ્ટો, મહિલા મંડળો, યુવક મંડળો, મંદિર ટ્રસ્ટો આ સેવા યજ્ઞને આગળ ધપાવી રહ્યા છે. દરરોજ બપોરે ૨૫૦૦ ભૂખ્યા લોકોને ભોજન, સાંજે ૩૦૦ જરૂરતમંદોને ભોજન તેમજ જરૂર જણાય ત્યાં સૂકો નાસ્તો પણ પહોંચાડવામાં આવે છે.
મીરઝાપર, નાગોર,લોડાઇ, કેશવનગર ચપરેડી,અટલનગર, મમુઆરા, ઝિંકડી, કુનરિયા, માધાપર, કુકમા, હબાય, અત્યારે આ ગામો માનવજ્યોતનાં સેવાયજ્ઞમાં જાડાઇ દરરોજ તાજી અને તૈયાર ગરમ રસોઇ બનાવી વિતરણ માટે માનવજ્યોત સંસ્થા ભુજને આપે છે. જેના કારણે અનેક ગરીબોનો જઠારાગ્ન ઠરે છે.
કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર, નરનારાયણ દેવ યુવતી મંડળ મીરઝાપર, રામદેવપીર મંદિર લાખોંદ, પાર્શ્વનાથ સોસાયટી માધાપર – નવાવાસ, રાંદલમાં મંદિર પાસેનાં બહેનો હંગામી આવાસ, માધેશ્વર મહાદેવર મંદિર ભુજ, ભાનુશાલી સમાજનાં બહેનો ભાનુશાલી ફળિયા જેષ્ઠાનગર, ભવનાથ સત્સંગ મંડળ, સંગીત ગ્રુપ ઓફ શોપ, ચાણકય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યૂટ, ઓમકારેશ્વર મહાદેવ મહિલા મંડળ આઇયાનગર, પરમેશ્વર સખી મંડળ ઝીંકડી, સહજાનંદ નગરનાં સર્વે રહેવાસીઓ સહજાનંદનગર મીરઝાપર વિગેરે તૈયાર રસોઇ માનવજ્યોતને આપે છે. સમાજા, મહિલા મંડળો, સોસાયટીયો, ગ્રુપો, માનવજ્યોતને સેવાકાર્યમાં મદદરૂપ બની રહ્યા છે.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આ તૈયાર રસોઇ ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ લોકોનાં ભૂંગા-ઝુંપડા- મકાનો સુધી જઇ વિતરણ કરવામાં આવે છે. ગરીબો ભરપેટ જમે છે.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, શંભુભાઇ જાષી, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, રફીક બાવા, વનરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, ગુલાબ મોતા, નિરવ મોતા, દીપેશ ભાટિયા, અક્ષય મોતા સંભાળી રહ્યા છે.