મધ્યપ્રદેશનાં મોરેનાં વિસ્તારની એક અજાણી મહિલા ઉ.વ. ૫૮ મોડી રાત્રે ભુજ શહેરનાં ગાંધીનગરી માર્ગેથી માનવજ્યોતનાં રફીક બાવાને મળી આવતાં તેને રાત્રે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે આશ્રય આપવામાં આવ્યો. મહિલાની પરિસ્થિતિ અત્યંત નાજુક હોતાં સવારે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી. સંસ્થાના સામાજીક કાર્યકર રીતુબેન વર્માએ ખૂબ જ પ્રયત્નોથી મહિલાનાં પરિવારનું એડ્રેસ શોધી કાઢી પરિવારજનોને મહિલાની હાલત ગંભીર હોવાનું જણાવતાં, પરિવારજનો પોતાનાં વાહન દ્વારા ભુજ આવી મહિલાને અમદાવાદ હોસ્પીટલમાં એડમીટ કરાવી મહિલાને શોધી આપવા બદલ તેમજ માનવજ્યોત સંસ્થાની સેવાઓને બિરદાવી સંસ્થાનો આભાર માન્યો હતો. એકદમ બિમાર મહિલાનું પણ ત્રણ દિવસમાં ઘર શોધવામાં સંસ્થાને સફળતા મળી હતી. મહિલાનાં પરિવારજનો તેને છ મહિનાંથી શોધી રહ્યા હતા.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, માવજીભાઈ આહિર, હિતેશ ગોસ્વામી, ઈરફાન લાખા, વાલજીભાઈ કોલી સહભાગી બન્યા હતા.