હોમીયોપેથીક આયુર્વેદિક કેમ્પનો ૮૦ દર્દીઓએ લાભ લીધલ

કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશીનગર મહિલા મંડળનાં સહકારથી હોમીયોપેથીક તથા આયુર્વેદિક નિઃશુલ્ક નિદાન કેમ્પ મહાકાલેશ્વર મંદિર રઘુવંશીનગર ચોક મધ્યે યોજાયો હતો. દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ. જેનો ૮૦દર્દીઓએ લાભ લીધો હતો. દરેકનાં દર્દનું નિદાન કરી દવાઓ ફી આપવામાં આવેલ.

ડો. પ્રતિક્ષાબેન પવાર, ડો. પ્રિયંકાબેન ચૌધરી, ડો. પરેશભાઇ સચદેએ પોતાની સેવાઓ આપેલ. વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, માલાબેન જોષી, કંચનબેન ગોર, સરલાબેન ગોસ્વામી, ભાવનાબેન જોષી, અનીતાબેન ગોર, ઇલાબેન વૈશ્નવ તથા સર્વે કાર્યકર ભાઇ-બહેનોએ સંભાળી હતી.