બાળ મજુરી નાબૂદી માટે સરકાર કટિબદ્ધ છે.ત્યારે અનેક બાળ મજૂરો શિક્ષણ તરફ વળ્યા

બાળ મજુરી પ્રથા નાબૂદી માટે સરકાર કટિબદ્ધ છે ત્યારે ભુજ શહેરમાં આવા રખડતા -ભટકતા અને મજુરી કામે ચાલ્યા જતા બાળકોને મજુરી કામમાંથી મુક્ત કરાવી અક્ષરદાન આપવવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરે છે. શાળાએ નજતા બાળકોની સંખ્યા હજુ પણ મોટી છે. આવા બાળકોને સમજાવી શાળા સુધી લઇ આવી પાયાનું શિક્ષણ આપી સરકારી શાળામાં પ્રવેશ અપાવવા સુધીનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરે છે. આવા બાળકો ભણે અને ખોટા દૂષણોનો ભોગ ન બને તેવા શુભ હેતુ સાથે આ બાળકોને પાયાનું જ્ઞાન આપી સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરે છે.
જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર-મુંબઇની પ્રેરણાથી માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા કચરા અને પ્લાસ્ટીક વીણતા બાળશ્રમયોગીઓને અક્ષરદાન આપવામાં આવે છે. દરરોજ વહેલી સવારે કચરા પેટી ખૂંદતા અને તેમાંથી પ્લાસ્ટીક-ભંગાર-પસ્તી વીણતા બાળકોને  માનવજ્યોત સંસ્થા  પાયાનું  શિક્ષણ પુરૂ પાડે છે.  માનવજ્યોતના શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઇ માહેશ્વરીના જણાવ્યા મુજબ છેલ્લા ૧૦ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. ૪૫૦ બાળકો વાંચતા લખતા શીખી ગયા છે. આ બાળકોએ સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. અને આગળ અભ્યાસ કરી રહ્યા છે.
આ એવા બાળશ્રમયોગીઓ છે કે, જેઓ બાળ મજુરી કરતા હતા. તેમાંથી એમને મુક્ત કરાવાયા  છે. તેમની ઉંમર ૬ થી ૧૩ વર્ષની છે. આ બાળ મજુરો પ્લાસ્ટીક-પસ્તી-ભંગાર વીણવાનું, ગુણીઓમાં કોલસા અથવા માલ ભરાવવા, ચાની હોટલે, આઇસ્ક્રીમની લારીઓ ઉપર, ગાડીઓને ગ્રીસીંગ કરવાનું, હોટેલ કે નાસ્તાગૃહમાં મજુરી કે અન્ય ધંધા સાથે જાડાયેલા હતા. આવા બાળકો ને રાખી બાળ મજુરી કરાવવી મોટો ગુન્હો છે. તેઓનાં વડીલો બાળકોને ભણાવી શકીએ તેમ નથી. તેઓ સાંજે ૨૦ થી ૪૦ રૂપિયા કમાવી આવે તોજ પરિવારનું ગુજરાન ચાલે તેમ છે. માનવજ્યોત સંસ્થાએ તેઓને ભણાવવા વડીલોને આગ્રહ કરતાં આખરે તેઓએ બાળકોને બે કલાક ભણવા માટે મોકલવાનું નક્કી કર્યું. આજે આ બાળકો વાંચતા-લખતાં શીખી ગયાનો માનવજ્યોત સંસ્થાને પણ આનંદ છે. અમુક સારૂં શીખી ગયેલા અને મોટા બાળકોને સંસ્થાએ નજીકની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવી દીધો છે. અને હવે તેઓ આગળ અભ્યાસ કરી રહ્યા છે. બાળ મજુરોને શોધી શોધીને શાળાએ જતા કરવાનું કામ માનવજ્યોત સંસ્થા કરે છે. બાળ મજુરોને કામે રાખવા ગુન્હો છે.  આ બાળકોને કામે રાખનારાઓ સામે સરકારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
ભીડ ગેટથી નવા રેલ્વે સ્ટેશને જતાં વચ્ચે કોલીવાસ આવે છે. ત્યાં આવા બાળકો માટે અક્ષરદાન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. શ્રી ભગવતી ધામ ભુજના વંદનીય પુજ્ય શ્રી રાજુભાઇ જાષીની પ્રેરણાથી સ્વ. પુષ્પાબેન પી. જાશીની સ્મૃતિમાં બાળશ્રમયોગીઓ માટે કોલીવાસમાં શાળાનું મકાન પણ  બનાવી આપવામાં આવેલ છે. જયાં  ૭૦ બાળકોને સવારે ૯ થી ૧૧ અને ચાંદચોક, વાઘરીવાસમાં ૬૦ બાળકોને સવારે ૧૦ થી ૧૨ અક્ષરદાન આપવામાં આવે છે. જયનગર વિસ્તારમાં ૩૨ જેટલા ભુલકાઓને અક્ષરજ્ઞાન આપવામાં આવે છે. આ કાર્ય માટે  શ્રી એલ.ડી. શાહ, શ્રી કાંતિસેનભાઇ શ્રોફ, શ્રી તારાચંદભાઇ છેડા, શ્રી હકુમતસિંહ જાડેજા, શ્રી પુષ્પદાનભાઇ ગઢવી, અમિષ મહેતા, પરેશ અનમ, દિપક ચા ભંડારના દિપક શાહ, પ્રકાશ સાકરચંદ શાહનો સહકાર મળતો રહ્યો છે.  જૈન સોશ્યલ ગ્રુપ, લાયન્સ કલબ ઓફ ભુજ, રોટરી કલબ ઓફ ભુજ, વી.ડી. હાઇસ્કુલ,  ક.વિ.ઓ. જૈન મહાજન, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, કિડિઝ કેમ્પ નર્સરી એન્ડ પ્લેહાઉસ તથા જાદવજી નગરની  હેપ્પી ફ્રેસીસ સ્કુલનો સહકાર મળતો રહ્યો છે. વિવિધ દાતાશ્રીઓ દ્વારા આ કાર્ય માટે સહયોગ મળતો રહે છે.
શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાશી, રફીક બાવા, લતાબેન ગજ્જર તથા  શ્રદ્ધાબેન ગોર, ઇલાબેન વૈશ્નવ, મરીયમબેન વ્યવસ્થા સંભાળી રહ્યા છે.  આવા બાળકોને દાતાશ્રીઓના સહયોગથી દરરોજ સંસ્થા દ્વારા નાસ્તો આપવામાં આવે છે. બાળશ્રમયોગીઓના નસીબે દરરોજ કોઇકને કોઇક દાતા નાસ્તો આપવા માટે આવી પહોંચે છે.
આ કાર્ય માટે સહયોગ આપવા  ઇચ્છતા દાતાશ્રીઓએ  મો. ૯૯૨૫૧૬૯૮૭૬  અથવા ૯૮૨૪૬૯૧૧૧૪નો સંપર્ક કરવા જણાવાયું છે.