છેલ્લા 3 વર્ષથી ગુમ છત્તીસગઢના અલગ-અલગ પરિવારોનાં બે યુવાનોને તેમનાં ઘર સુધી પહોંચતા કરાયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજને ભુજ-માંડવી માર્ગો રોડ સાઇડ ઉપરથી નરેન્દ્ર નામનો એક યુવાન ઉ.વ. 35 મળી આવ્યો હતો. જે છત્તીસગઢનાં રાયપુર શહેરનો હતો. જયારે બીજો યુવાન મથુરામ ઉ.વ. 40 જીલ્લો કબડથાને સોમનાથનાં નિરાધારનો અધાર અશ્રમમાંથી લઇ આવવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેઓની સારી સારવાર કરવામાં આવેલ.
માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ છત્તીસગઢ પોલીસની મદદ લઇ બંનેના ઘર શોધી કાઢ્યા. પરિવારજનોની આર્થિક સ્થિતિ એકદમ નબળી હોતાં તેઓ પાસે ટીકીટ ભાડા માટે પણ પૈસા નહતા જેથી માનવજ્યોતે સેવાભાવીઓ સાથે રેલ્વે માર્ગે તેઓને ઘર સુધી પહોંચતા કરાવતાં પરિવારજનો છત્તીસગઢ-રાયપુર રેલ્વે સ્ટેશને તેમનો કબ્જો લેવા આવી પહોંચ્યા હતા. ત્રણ વર્ષ પછી તેમનું પરિવારજનો સાથે મિલન થતાં સૌની આંખો અશ્રુભીની બની હતી.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, સહદેવસિંહ જાડેજા સહયોગી બન્યા હતા.