રાષ્ટ્ર સંત અચલગચ્છાધિપતિશ્રીની ૩૫મી પુણ્યતિથિ ઉજવાઇ

રાષ્ટ્રસંત, અચલગચ્છાધિપતિ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની ૩૫મી પુણ્યતિથિએ તેઓની ગુણાનુવાદસભા યોજાઇ હતી.

પૂજ્ય સાધ્વી શ્રી પુનિતગુણાશ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા-૩ ની નિશ્રામાં વર્ધમાનનગર જૈન સંઘ દ્વારા વર્ધમાનનગર અચલગચ્છ જૈન ઉપાશ્રય મધ્યે તા. ૧૩ થી ૧૫ સુધી સવારે ૮-૩૦ કલાકે ત્રિદિવસિય ધાર્મિક કાર્યક્રમો કલોલ: યોજાયા હતા. પૂજ્યશ્રીએ ગચ્છની ઉન્નતિ માટે કરેલા કાર્યોને બિરદાવવામાં આવેલ. તેઓશ્રીએ કરેલી અદ્ભુત શાય પ્રભાવનાને યાદ કરવામાં આવેલ. ગચ્છની પ્રગતિ માટે તેઓ સતત ઝઝુમ્યા હતા અને અચલગચ્છમાં અનેક બિરૂદ પ્રાપ્ત કર્યા હતા. પૂજ્ય સાધ્વી શ્રી પુનિતગુણાશ્રીજી મહારાજ સાહેબે એમનાં જીવનના અનેકવિધ જિનશાસન કાર્યોને બિરદાવતા જણાવ્યું હતું કે, પુજ્ય શ્રી આખા ભારતમાં વિહાર કર્યા હતા. લાલવાડી મુંબઈથી સમતશિખરનો ચર્તુવિધ સંઘ સાથે છ’રીપાલક સંઘ કાઢયો હતો. જેમાં ૧૫૦૦ યાત્રિકો જોડાયા હતા. સંઘના પ્રારંભે લાલવાડી મધ્યે ૫૦ હજાર માનવ મહેરામણ ઉમટી પડેલ. કીરીટભાઈ શાહ, સંદિપ શાહ, ગૌતમ શાહ, કલ્પેશ શાહ, ભાવિન શાહ, પ્રબોધ મુનવર, શીલાબેન શાહ તથા શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.