માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં જરૂરતમંદ બે હજાર લોકોને તેમના ભૂંગા-ઝુંપડાઓ સુધી જઇ ફુડ પેકેટસ પહોંચાડવામાં આવે છે. માનવજ્યોત સંસ્થાનાં ૪ વાહનો તથા કાર્યકરો ભુજ શહેરની ચારે દિશાઓમાં બપોરે બાર વાગ્યાથી ફુડ પેકેટોનું વિતરણ કરે છે.
કપીરાજ હનુમાન મંદિર મીરઝાપર, વાગડ બે ચોવીસી યુવક મંડળ ભુજ, ભાનુશાલી મહાજન ભુજ, મીરઝાપરનાં એક દાતાશ્રી, નાગોર, સરસપુર, લોડાઇ, મીરઝાપર, કોટાય ગામવાસીઓ, સંગીત ગ્રુપ ઓફ શોપ, ચાણકય ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયૂટ, દરરોજ તૈયાર રસોઇ માનવજ્યોતને આપે છે. સંસ્થા ગરીબો સુધી આ રસોઇ પહોંચાડે છે.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, શંભુભાઇ જાષી, રાજુ જાગી, ઇરફાન લાખા, ગુલાબ મોતા સંભાળી રહ્યા છે.