ઉત્તરપ્રદેશનો સુનીલ બે વર્ષ પછી ઘરે પહોંચ્યો તેને તેડવા પરિવાર ફોર વ્હીલરથી ભુજ પહોંચ્યો

ઉત્તરપ્રદેશના રાયપુર સંભલ વિસ્તારનો ૨૮ વર્ષિય સુનીલ છત્રપાલ ઘરેથી નીકળ્યા પછી બે વર્ષ સુધી રખડતો- ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ તેને શોધવા પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા પણ તેનો અતો-પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. અને તેની સતત ચિંતા સેવી હતી.

આખરે તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંથી તેને માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા ભુજ લઈ આવ્યા. ઉત્તરપ્રદેશની પોલીસની મદદ લઈ તેનું ઘર શોધવામાં સફળતા મળી. સમાચાર મળતાં જ સુખી-સંપન્ન પરિવાર પોતાની ફોરવ્હીલર કારથી ભુજ આવી પહોંચ્યો. બે વર્ષ પછી તેનું પરિવાર સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોનાં જણાવ્યા મુજબ સુનીલને પત્ની અને એક પુત્ર છે. તેને શોધવા રાત- દિવસ એક કરી લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. પણ આખરે ભુજથી માનવજ્યોત સંસ્થામાંથી ફોન આવતાં જ પરિવારજનો નાચી-ઝુમી ઉઠ્યા હતા. અત્યારે તે ૩૦ વર્ષનો થઈ ચૂકયો છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિલીપ લોડાયા, ઉમરશી ધુલ્લા, વાલજી કોલી સહભાગી બન્યા હતા.