ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ગાંધીનગર સામાજિક કાર્યનાં બીજા વર્ષનાં બીએસડબલ્યુ એલ.એલ.બી. વિદ્યાર્થીઓ બેચ- ૨૦૨૨-૨૭એ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી હતી.
સેન્ટ૨ ફોર લો એન્ડ સોસાયટી દ્વારા ગુજરાતમાં આપત્તિ, પ્રાકૃતિક જોખમો, વ્યવસ્થાપનની નિર્ણાયક જરૂરિયાત અને વ્યવહારૂ પાસા જોવાનું કાર્ય તથા સંશોધન અને તાલીમની પ્રવૃત્તિઓ કરાય છે. અને કાયદા અને જ્ઞાનના પ્રસાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સંયુક્ત પરિણામો અર્થપૂર્ણ પરિણામો લાવી શકે છે. તેવા હેતુ સાથે ‘સરલ કાનૂન,, નમુનો રજુ કરી નાગરિક સમાજની સંસ્થાઓ સાથે મળીને બાળકો-મહિલાઓના અધિકારો પર હેન્ડબુક તૈયાર કરી છે. સમજી શકાય તેવી ભાષામાં કાયદાકીય જાગૃતિ સુલભ બનાવી છે.
ગાંધીનગરથી આવેલા વિદ્યાર્થીઓએપ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ માનવજ્યોતની વિવિધ પ્રવૃત્તિઓને અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ સંસ્થાની માહિતી પૂરી પાડી હતી.