શેરીએ શેરીએ પડાવો સાદ વૃક્ષો હોય ત્યાં હોય વરસાદ… વૃક્ષો વાવો વરસાદ લાવો

કોટીવૃક્ષ અભિયાન બીદડા-કચ્છનાં શ્રી એલ.ડી. શાહનાં માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકામાં મોટા પાયે વૃક્ષારોપણનું કાર્ય થયેલ. સરકારી વહીવટી તંત્ર, સંસ્થાઓ, શાળા-કોલેજાે, વિવિધ મંડળો, દરેક ગામ વાસીઓ,પંચાયતો દ્વારા ઠેર-ઠેર વૃક્ષારોપણ કરાયું. પરિણામે માંડવી સમગ્ર તાલુકામાં શ્રીકાર વરસાદ થતાં સમગ્ર માંડવી તાલુકો લીલોછમ અને હરિયાળું બન્યું છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી છે. તો પશુધન માટે સુખનાં દિવસો આવ્યા છે.નદી-તળાવો-ડેમો – છલકાયા છે પીવાનાં પાણીની સમસ્યા હલ થઇ છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં સારો વરસાદ થયેલ છે. વરસાદી પાણી સંગ્રહ થતાં પીવાનં પાણીની સમસ્યા હલ થઇ છે. કચ્છનાં ગામડે ગામ તથા શહેરોમાં કોટીવૃક્ષ અભિયાનનાં મજબૂત ટ્રી ગાર્ડ વૃક્ષોને ઉછેરતા અને રક્ષણ પૂરૂં પાડતાં જાેવા મળે છે. વડીલ એલ.ડી. શાહનાં સફળ પ્રયત્નો આજે આપણે જાેઇ રહ્યા છીએ. બીદડા સર્વોદય ટ્રસ્ટ તથા કચ્છની અનેક વિધ સંસ્થાઓ આ કાર્યને વેગ આપી રહી છેભુજમાં તેરા તુજકો અર્પણ, માનવજ્યોત તથા વિવિધ સંસ્થાઓ વૃક્ષારોપણ પ્રવૃત્તિને આગળ ધપાવી રહેલ છે. માધાપર-વર્ધમાનનગર માર્ગ ઉપર માનવજ્યોત સંસ્થાએ પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ૪૦૦ વૃક્ષો વાવ્યા છે. માનવજ્યોતના શંભુભાઇ જાેષીએ અનેક મંદિરો, શાળાઓ, હોસ્પીટલો, સંસ્થાઓમાં વૃક્ષારોપણ કર્યું છે. સારો વરસાદ થતાં લોકો વધુને વધુ વૃક્ષારોપણ કરે તેવું કોટી વૃક્ષ અભિયાનની એક યાદીમાં જણાવ્યું છે.