માનસિક દિવ્યાંગો સાથે રહી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે કરવામાં આવી હતી.

પવિત્ર મકરસંક્રાંતિ પર્વે દાન-પૂન કરવાનાં ભાવ સાથે અનેક પુણ્યશાળીઓ માનસિક દિવ્યાંગોનાં પાલારા મધ્યે આવેલ શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચ્યા હતા.

આશ્રમે સવારથી જ પુણ્યશાળી આત્માઓ અહીં ઉમટી પડ્યા હતા. માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો , ખાવા- પીવાની વસ્તુઓનું સ્વહસ્તે વિતરણ કરી પૂણ્યનું ભાથું બાંધ્યું હતું.

મિષ્ટાન-ફરસાણ સાથે બપોરનાં ભોજનનો લાભ ડો. સુરેશભાઇ બી. સાકરિયા પરિવાર, દેવ્યાનીબેન સુરેશભાઇ દવે-માધાપર, કુંવરબાઇ શીવજી ગોડલીયા- મીરઝાપર,શીવજી માવજી હીરાણી મીરઝાપર, જગદીશચંદ્ર નાનજી માકાણી-ભુજ, ભક્તિ મહિલા મંડળ-મીરઝાપર, ડો. વી.સી.દવે- ભુજ , મહાકાળી મંડળ-વર્ધમાનનગર પરિવારોએ લીધો હતો.

ભાનુશાલી યુવા ગ્રુપ-માધાપરનાં વિનેશ ભાનુશાલી, મનીષ ભાનુશાલી, મયુર ભાનુશાલી, અન્ય ગ્રુપો-મંડળો આશ્રમની મુલાકાતે પધારેલ અને દાન- પૂન કરેલ. પ્રારંભે સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરે સર્વે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સુરેશભાઇ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આશ્રમની માહિતી આપી હતી. માનવજ્યોત સંસ્થા દ્વારા ગરીબોના ઝુંપડે વસ્ત્રો વિતરણ કરવામાં આવેલ. તેમજ રંક બાળકોને ભોજન, ગાય માતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ તથા શ્વાનોને રોટલા નાખવામાં આવેલ. વર્ધમાનનગરનાં મહાકાળી મંડળનાં જયાબેન મુનવર,ગુણવંતીબેન મોતા, ડીમ્પલ ધરમશી તથા સર્વે બહેનો જાડાયા હતા.

વ્યવસ્થામાં આનંદ રાયસોની, રફીક બાવા, ગુલાબ મોતા, દિપેશ શાહ, અક્ષય મોતા, મહેશ ઠક્કર, વાલજી કોલી તથા સર્વે કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.