શ્રી રામદેવ સેવાશ્રમપાલારા મધ્યે માનસિક દિવ્યાંગોની થઇ રહેલી વિવિધ સેવાઓ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વસ્થ બનાવી, ઘર શોધી આપી, ઘર સુધી પહોંચતા કરવાનું કાર્ય માનવજ્યોત દ્વારા કરવામાં આવે છે. આશ્રમસ્થળે માનસિક દિવ્યાંગોને સવારે યોગ-કસરત કરાવવામાં આવે છે. દરરોજ ટીવી માધ્યમથી ભજન-કિર્તન-સત્સંગનાં કાર્યક્રમો બતાવડવામાં આવે છે. બપોરે કેરમ તથા સાંજે ક્રિકેટ, વોલીબોલ રમાડી તેમજ ગાર્ડનમાં થોડીવાર બેસાડી તેમનું મગજ સરસ રીતે કામકરે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, મંત્રી સુરેશભાઈ માહેશ્વરીનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં સામાજિક કાર્યકર દીનાનાથજી માનસિક દિવ્યાંગોને તાલિમ પૂરી પાડતા રહે છે. જેનાં કારણે તેઓ જલ્દી સ્વસ્થ બનતા જાય છે. તેમને દરરોજ નિયમિત માનસિક રોગની દવાઓ માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ દ્વારા પૂરી પાડવામાં આવે છે. મનોચિકિત્સક ડો.મહેશભાઇ ટીલવાણી આ દરેક મનોરોગીઓની સારવાર કરતા રહે છે. 

કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા અટુલા-નિરાધાર જેનું અહીં કોઈ નથી તેવા માનસિક દિવ્યાંગોને આશ્રમ સ્થળે લઈ આવવામાં આવે છે. તેમની બાલ-દાઢી-કટીંગ, સ્નાન, કપડા બદલી, ત્રણ ટાઇમભોજન, દરેકને રૂમમાં પલંગ ઉપર સૂવાની વ્યવસ્થા સાથે સારી સારવાર આપવામાં આવે છે. દર મહિને કચ્છના જુદા-જુદા શહેરોમાં વાહન દ્વારા જઇ માનસિક દિવ્યાંગોને લઈ આવવામાં આવે છે. 

પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઈ માહેશ્વરી, અરવિંદ ઠક્કર, સહદેવસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા,દિલીપ લોડાયા, મહેશ ઠક્કર તથા સર્વે કાર્યકરો સેવા આપી રહ્યા છે.