શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનો ૪ વર્ષમાં પ્રવેશ ૩૫૦ માનસિક દિવ્યાંગો ઘર સુધી પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનો ૪ વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. વિતેલા ૩ વર્ષમાં સંસ્થાએ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા એકલા-અટુલા-નિરાધાર ૩૫૦ માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી ઘણાં માનસિક દિવ્યાંગો ૫,૧૦,૧૫,૨૦,૨૫,૩૦,૩૫ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યા છે. અત્યારે ૪૦ માનસિક દિવ્યાંગો આ આશ્રમમાં સારવાર લઇ રહ્યા છે. જેમની ભોજન તથા રહેવા સહિતની વ્યવસ્થાઓ
સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

સંસ્થાનાં ૪ વર્ષમાં પ્રવેશ પ્રસંગે દરેક માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. આ અવસરે સ્વ. જીવીબેન ગોવિંદ વરસાણી તથા સ્વ. કેતન કાનજી વરસાણી માધાપર દ્વારા સંસ્થાને રૂા. ૫૦ હજારનું અનુદાન અપાયું આ પ્રસંગે દેવજીભાઇ કાનજી કેરાઇ (ઝુંપડી) તથા વિનોદભાઇ દેવજી ભુડીયા-માધાપર, લવભાઇ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, શંભુભાઇ જાેષી, રફીક બાવા તથા સર્વે કાર્યકરોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.