શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રક્ષાબંધનની ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે જૈન સોશ્યલ ગ્રુપ- ભુજ (મેઇન) દ્વારા રક્ષાબંધન નિમિત્તે માનસિક દિવ્યાંગોને બપોરનું મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડી ઉજવણી કરવામાં આવેલ.

વિવિધ સમાજની બહેનો આશ્રમે પહોંચી માનસિક દિવ્યાંગોનાં કાંડે રક્ષાબંધન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

ગ્રુપનાં પ્રમુખ ચન્દ્રકાન્ત મહેતા, મંત્રી ધનસુખલાલ દોશી, વસંતભાઇ ભાભેરા, જયેશભાઇ શાહ, નાનાલાલભાઇ સંઘવી, લલીતભાઇ મહેતા તથા ગ્રુપનાં સભ્યોએ ઉપÂસ્થત રહી માનસિક દિવ્યાંગોને તે જલ્દી સ્વસ્થ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

સાંજનું ભોજન જયાબેન મુનવર, તારાબેન બુદ્ધભટ્ટી તથા રમીલાબેન બાડમેરા દ્વારા યોજાયું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે તથા આભાર દર્શન ગુલાબ મોતાએ
કરેલ. વ્યવસ્થા વાલજી કોલી, મહેશ ઠક્કર, વિનોદ મારાજે સંભાળી હતી.