શ્રી હરીનગર-૩ મીરઝાપર નીલકંઠ મહાદેવ મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા કુંડા-ચકલીઘર કાપડની થેલીઓનો નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ શ્રી હરીનગર-૩ મીરઝાપર નીલકંઠ મહાદેવ મંદિર પ્રાંગણે સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરનાં પ્રમુખ સ્થાને યોજાયો હતો. અતિથિવિશેષ પદ નરોત્તમભાઇ પટેલ, કલ્પેશભાઇ ગોરાણી, લક્ષ્મણગીરી ગોસ્વામી, શાંતિલાલ પટેલ, ભાવેશ જાશી, મણીલાલ પટેલ, વસંતભાઇ પટેલ, ડાયાભાઇ સીજુ, રાજેશ જાષી, ભાસ્કરભાઇ તથા પ્રતિકભાઇ ભટ્ટે શોભાવ્યું હતું.

માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર તથા શંભુભાઇ જાષીએ પર્યાવરણની જાળવણી અંગે સમજ પૂરી પાડી હતી.વિશાળ સંખ્યામાં ઉપÂસ્થત રહેવાસીઓને નિઃશુલ્ક કુંડા- ચકલીઘર-કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ. લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા તથા કાપડની થેલીઓનો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી. મંદિરનાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.

કાર્યક્રમનું સંચાલન શ્રી કનૈયાલાલ અબોટીએ જયારે આભારવિધિ મંદિરનાં પૂજારી હસમુખભાઇએ કરેલ. વ્યવસ્થામાં સંજયગીરી, સવિતાબેન ગોસ્વામી, રવજીભાઇ, પરસોતમભાઇ, લાલજીભાઇ પટેલે સહકાર આપેલ.